હિમાચલની લાહૌલ વેલીમાં ૯,૦૫૦ ફૂટની ઊંચાઈએ આવેલા ત્રિલોકીનાથ મંદિરની આ સ્મરણયાત્રા છે, જ્યાં શિવ-બુદ્ધનો સમન્વય છે. લેખકે પ્રાકૃતિક સૌંદર્ય, લાહૌલી જનજીવન અને ફોટોગ્રાફીના માધ્યમથી અનુભવાયેલી આધ્યાત્મિક અનુભૂતિને અત્યંત સંવેદનશીલતાથી આલેખી છે.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.