પોંડિચેરીથી મહાબલિપુરમ સુધીની ૧૯૯૯ની આ યાદગાર યાત્રા, પલ્લવકાલીન શિલ્પકલા અને સમુદ્રકાંઠાના તટ મંદિરના વૈભવને આબેહૂબ રજૂ કરે છે. પથ્થરોમાં કંડારેલી કલા અને ઇતિહાસના સાક્ષીરૂપ આ સ્થાપત્યનો અનુભવ અહીંના શબ્દોમાં ખૂબ જ ભાવપૂર્ણ રીતે જીવંત થયો છે.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.